ભારતીય શેરબજારમાં આજે મંદીનો માહોલ
Live TV
-
ભારતીય શેરબજારોમાં આજે મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ અગાઉના 50,792 સામે 19 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 50,773 પર ખૂલ્યો હતો. જોકે, વેચવાલીના દબાણને લીધે તેમાં 500થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવાયો હતો. એક તબક્કે સેન્સેકસ ઘટીને 50,068 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 18 પોઈન્ટના વધારા સાથે અગાઉના 15,030 સામે 15,048 પોઈન્ટ પર ખૂલ્યો હતો. જોકે તે પણ ઘટીને એક તબક્કે 14,818 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ, યુપીએલ, ગેઈલના શેરોમાં ભારે ઘટાડો જોવાયો હતો. શેરબજારમાં દરેક સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે.
