શેર બજાર લાલ નિશાન પર ખુલ્યું, યુદ્ધ અને કંપનીઓના ત્રિ-માસિકગાળાના પરિણામોની અસર દેખાઈ
Live TV
-
ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા તણાવ અને ભારતીય કંપનીઓના બીજા ત્રિ-માસિકગાળાના પરિણામને પગલે સપ્તાહની શરૂઆતમાં રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું.
ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા તણાવ અને ભારતીય કંપનીઓના બીજા ત્રિ-માસિકગાળાના પરિણામને પગલે સપ્તાહની શરૂઆતમાં રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું. સોમવારે બીએસઈ સેન્સેક્સ નરમાઈ સાથે ખૂલી ઈન્ટ્રા-ડેમાં 48.64 પોઈન્ટસ ઘટાડા સાથે 66,234.10 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 1.60 પોઈન્ટસ ઘટીને 19,749.45ના સ્તરે બોલાઈ રહ્યો હતો.
સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં ઓટો અને મેટલ શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે પાવર, રિયાલીટી ઈન્ડેક્સ, બેન્ક અને એફએમસીજીના શેરોમાં વેચવાલીનો માહોલ રહ્યો હતો. ડેલ્ટા કોર્પને રૂપિયા 6,384 કરોડની જીએસટી નોટિસ મળતા શેરના ભાવમાં 10 ટકા કડાકો જોવા મળ્યો હતો. જ્યારે બજાજ ઈલેક્ટ્રોનિક્સને પાવર ગ્રીડ કોર્પોરેશન પાસેથી 400 કિલોવોટની ટ્રાન્સમિશન લાઈનનો કોન્ટ્રાક્ટ મળતા શેર 3 ટકા તેજીમાં રહ્યો હતો.
