સિનેમેટોગ્રાફ એક્ટમાં તાજેતરના સુધારા મુજબ ડિજિટલ વિડિયો કન્ટેન્ટની ચોરી અટકાવાશે
Live TV
-
ભારતીય સિનેમા નિર્માતાઓના અધિકારો સુરક્ષિત છે અને તેમની સામગ્રીની ચોરી અને સોશિયલ મીડિયા પર તેનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
સિનેમેટોગ્રાફ (સુધારા) અધિનિયમ,2023 ભારતની સંસદ દ્વારા 31 જુલાઈ, 2023ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ 4 ઓગસ્ટ, 2023ના રોજ બિલને સંમતિ આપી હતી. કાયદા અને ન્યાય મંત્રાલયે 4 ઓગસ્ટ, 2023 ના રોજ આ અધિનિયમની સૂચના આપી હતી. સમાજની સહિષ્ણુતાની મર્યાદાઓ અનુસાર ફિલ્મો બતાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા સંસદ દ્વારા 1952નો સિનેમેટોગ્રાફ એક્ટ ઘડવામાં આવ્યો હતો. આ અધિનિયમે ફિલ્મોને પ્રમાણિત કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ની સ્થાપના કરી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ કહ્યું છે કે, સિનેમેટોગ્રાફ એક્ટમાં તાજેતરનો સુધારો ડિજિટલ વિડિયો કન્ટેન્ટ (સામગ્રી)ની પાયરસી (ચોરી)ને અટકાવશે. તારીખ 12 ઑક્ટોબરની રાત્રે બેંગલુરુમાં ઓલ ઈન્ડિયા રેડિયો સાથે વિશેષ વાર્તાલાપમાં તેમણે કહ્યું કે, આ કાયદો એ સુનિશ્ચિત કરશે કે ભારતીય સિનેમા નિર્માતાઓના અધિકારો સુરક્ષિત છે અને તેમની સામગ્રીની ચોરી અને સોશિયલ મીડિયા પર તેનો દુરુપયોગ ન થાય. તેમણે જૂના ક્લાસિક સિનેમાને પુનઃસ્થાપિત કરવા અને ભારતીય અને વિદેશી સિનેમા નિર્માતાઓ વચ્ચે ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવતા પગલાં વિશે પણ વાત કરી.