અંબાજી મંદિર ખાતે બે દિવસીય શક્તિ ઉત્સવ ખુલ્લુ મુકવામાં આવ્યું
Live TV
-
સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા અંબાજી મંદિર ખાતે બે દિવસીય શક્તિ ઉત્સવ ખુલ્લુ મુકવામાં આવ્યું
હાલ ગુજરાતમાં ચૈત્રી નવરાત્રી પર્વ મનાવાઈ રહ્યો છે. રાજ્યના અલગ અલગ મંદિરોમાં ચૈત્રી નવરાત્રીને લઈ ઉજવણી થઈ રહી છે. દરમિયાન સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા અંબાજી મંદિર ખાતે બે દિવસીય શક્તિ ઉત્સવ ખુલ્લું મુકવામાં આવ્યું. જીલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર તથા સંગીત નાટક અકાદમી નાં અઘ્યક્ષ તેમજ જીલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સહયોગથી શરૂ થયેલા આ કાર્યક્ર્મમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમના પ્રથમ દિવસે હિન્દુસ્તાની નૃત્ય, ઓડિશા નૃત્ય, ભવાઇ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે પ્રસિધ્ધ લેખક જોરાવર સિંહ જાદવે લખેલી 101 મી પુસ્તકનુ વિમોચન પણ કરવામાં આવ્યું.
