અંબાણી પિતા-પુત્ર કષ્ટભંજન હનુમાનજીના દર્શને
Live TV
-
દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી.
પિતા-પુત્રએ હનુમાનજીના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મંદિર પરિસરમાં ગૌ પૂજન કર્યું હતું અને મંદિરના શિખર પર ધ્વજા પણ ચઢાવી હતી. અંબાણી પરિવારના આગમનને પગલે સાળંગપુરમાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
