અગ્નિવીર ભરતી માટે 22 માર્ચ સુધી અરજી કરી શકાશે
Live TV
-
આર્મી રિક્રુટીંગ ઓફીસ, જામનગર દ્વારા અપરણિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. અરજી કરવાં માટે ઉમેદવારની જન્મ તારીખ 1 ઓકટોબર,2003 થી 1 એપ્રિલ,2007 હોવી જરૂરી છે.
પરીક્ષા ફી રૂ.250/-છે અને ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી 22 માર્ચ છે. જેમાં જરનલ ડ્યૂટીમાં લઘુતમ 45% અને દરેક વિષયમાં 33% માર્કસ સાથે ધોરણ-10 પાસ, ઉંચાઈ: 168 સે.મી., છાતી: 77 ( 5), ટેકનિકલમાં લઘુતમ 50% અને દરેક વિષયમાં 40% માર્કસ સાથે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-12 પાસ અથવા લઘુતમ 50%સાથે ધોરણ-10 પાસ અને વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયમાં 40% માર્કસ સાથે બે,ત્રણ વર્ષનાં નિયત આઈ.ટી.આઈ.,ડીપ્લોમા કોર્ષ પાસ, ઉંચાઈ: 167 સે.મી., છાતી: 76( 5), ઓફીસ આસિ.,સ્ટોર કીપરમાં લઘુતમ 60% તેમજ અંગ્રેજી અને ગણિત,એકાઉન્ટ,બુક કિપીંગ સહિત દરેક વિષયમાં 50% માર્કસ સાથે ધોરણ-12 પાસ, ઉંચાઈ: 162 સે.મી., છાતી: 77 ( 5) અને ટ્રેડસમેનમાં દરેક વિષયમાં 33% માર્કસ સાથે ધોરણ-8 અથવા 10 પાસ, ઉંચાઈ: 168 સે.મી., છાતી: 76 ( 5) છે.
