અમદાવાદઃ રવિશંકર રાવલ કલા ભવન આર્ટ ગેલેરી ખાતે ફોટો એક્ઝીબિશનનું કરાયું આયોજન
Live TV
-
અમદાવાદઃ રવિશંકર રાવલ કલા ભવન આર્ટ ગેલેરી ખાતે ફોટો એક્ઝીબિશનનું કરાયું આયોજન
અમદાવાદ શહેરમાં આવેલી રવિશંકર રાવલ કલા ભવન આર્ટ ગેલેરી ખાતે ફોટો એક્ઝીબિશનનું આયોજન કરાયું હતું. આ ફોટો એક્ઝીબીશનમાં રાજસ્થાનના બિકાનેરના શેખાવટી હવેલીઓના અનોખા શિલ્પ સ્થાપત્ય દર્શાવતા ફોટો પ્રદર્શિત કરાયા હતા. અનુભવી ફોટોગ્રાફર દિનેશ પંચોલીએ આ નયનરમ્ય દ્રશ્યોને તસ્વીરોમાં કંડારી હતી. રાજસ્થાનના પ્રાચીન શિલ્પ સ્થાપત્ય તેની એક અનોખી હેરિટેજ કળા ધરાવે છે ત્યારે આ હવેલીઓ એ સમયના જાજરમાન ઇતિહાસની ઝાંખી કરાવે છે અને પ્રવાસીઓમાં એક અનેરૂ સ્થાન ધરાવે છે. ગુજરાત અને અમદાવાદના લોકો, આ શેખાવટી હવેલીઓથી માહિતગાર થાય અને તેમની શિલ્પ સ્થાપત્ય કલાને ઓળખે અને સાથે સાથે પોતાના મનગમતા પ્રવાસ સ્થળોમાં પસંદ કરે એવા આશયથી આ ફોટોગ્રાફી પ્રદર્શન યોજવામાં આવ્યો હોવાનું તસવીરકાર દિનેશ પંચોલીનું કહેવું છે.
