કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, ગાંધીનગરમાં સમૌ પ્રાથમિક શાળામાં સમૌ શહીદ સ્મારકનું લોકાર્પણ કરશે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, ગાંધીનગરમાં સમૌ પ્રાથમિક શાળામાં સમૌ શહીદ સ્મારકનું લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે આજે નારણપુરા વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ આજે સાંજે ગાંધીનગરમાં સમૌ પ્રાથમિક શાળામાં સમૌ શહીદ સ્મારકનું લોકાર્પણ કરશે. તેમજ નવરાત્રીના પ્રારંભે માણસામાં આવેલા બહુચર માતાજીના મંદિરે આરતીમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે સાંજે તેઓ ગાંધીનગરના ઉનાવામાં મહાકાળી યુવક મંડળ આયોજીત શેરી ગરબામાં ઉપસ્થિત રહેશે. તેમજ રામકથા મેદાન ગાંધીનગરના સેક્ટર 11 ખાતે સમય ફાઉન્ડેશન આયોજીત કેસરીયા ગરબા-નવરાત્રી 2023માં ઉપસ્થિત રહેશે.
