અમદાવાદના 28 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ બંધ રહેશે ખાણીપીણીની દુકાનો
Live TV
-
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.હવે પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારો માટે કડક નિયમ બનાવવામાં આવ્યો છે.અમદાવાદના 28 જેટલા વિસ્તારોમાં હવે રાત્રીના 10 વાગ્યા પછી ખાણી-પીણીની દુકાનો બંધ રહેશે.ખાણી-પીણીના ધંધા સાથે જોડાયેલા વેપારીઓ રાત્રે 10 વાગ્યા સુધી જ પોતાનો ધંધો કરી શકશે.ત્યારે બાદ પોતાનો વેપાર બંધ કરવો પડશે.ખાણીપાણી સ્ટોલ પર વધારે પડતી ભીડ જામતી હોવાથી સાથે જ લોકો સતત સોશિયલ ડિસ્ટસિંગનો ભંગ થાય છે.સાથે લોકો માસ્ક પણ ન પહેરતા હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.અમદાવાદ કયા કયા વિસ્તાર માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે તેની વાત કરીએ તો એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુ ભવન રોડ, બોપલ, સાયન્સ સિટી રોડ, ઇસ્કોન વગેરે સ્થળોએ , કોરોનાની ગાઈડ લાઈનનું પાલન થતું ન હોવાથી નવો નિયમ લાગુ પડાયો છે.અધિક મુખ્ય સચિવ ડૉક્ટર રાજીવ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.નવો નિર્ણય આગામી 10 દિવસ સુધી રહેશે
