અમદાવાદમાં યોજાયો આત્મનિર્ભર એવોર્ડ
Live TV
-
અમદાવાદમાં PHFR સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સમાજમાં સ્વ-બળે બહાર આવેલી, પ્રતિભાઓના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપા નેતા અને પૂર્વ સાંસદ ભાવનાબેન દવે અને પૂર્વ મંત્રી જગરુપ સિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સાહસિક અને નાના એકમો શરૂ કરનારા યુવાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને સન્માન પત્ર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે પ્રતિભાવ આપતા પ્રદેશ ભાજપા મહિલા નેતા ભાવનાબેન દવે જણાવ્યું હતું કે સન્માન કરવામાં આવેલાઓ યુવાઓએ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવાનું ઉત્તમ ઉદાહરણ પુરા પાડ્યા છે.
