અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરી
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે ગૃહમંત્રી પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. અમિત શાહ આજે પરિવાર સાથે શહેરનાં જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને સાથે જ મંદિરના પ્રાંગણમાં ગજરાજને નમન કર્યું હતું. સાથે જ આજના દિવસે મંદિરમાં ગૌ દાનનો પણ ખૂબ મહિમાં છે, તો આજના પાવન અવસર પર અમિત શાહ પણ દાન કરશે. આજે દર્શન બાદ ગૃહ મંત્રી પરિવાર સાથે પતંગ ઉડાડવાની મજા લેશે.
