અમદાવાદ ખાતે આકાર પામનાર ઉમિયા મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો
Live TV
-
અમદાવાદમાં વૈષ્ણદેવી સર્કલ પાસે જાસપુર પાસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મા ઉમિયાનું વિશ્વ કક્ષાનું વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. જે અંતર્ગત બે દિવસના વિવિધ કાર્યક્રમોનું આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કરાયું છે. 100 વીઘા જમીન પર એક હજાર કરોડનો આ પ્રોજેક્ટ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયો છે. જેમાં 431 ફૂટ ઊંચું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આજે મંદિરનો ભવ્ય શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં જવારા શોભાયાત્રા, કળશ પૂજનપૂજન કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટીદાર અગ્રણીઓ સહીત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે શિલાન્યાસ સમારોહમાં વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડા રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
