અમદાવાદ : બારેજા નગરપાલિકામાં આવેલ સરદાર બાગ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો
Live TV
-
અમદાવાદ જિલ્લાના બારેજા નગરપાલિકામાં આવેલ સરદાર બાગ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દસ્કોઇના ધારાસભ્ય બાબુલાલ જે. પટેલ, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર માધુભાઈ ઠાકોર, અને જિલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી ગૌસ્વામીએ દીપ પ્રાગટાવી શુભારંભ કરાવ્યો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્રેશ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવા અને લાભાર્થીઓને લાભ અપાવવાનો છે. આ પ્રસંગે પી.એમ સ્વનીધી યોજના, આયુષ્માનકાર્ડ યોજના, પી.એમ ઉજવલ્લા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ વિશ્વકર્મા યોજના અંગે માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.
આ સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. આ વિક્સિત ભારત સંકલ્પ યાત્રામાં બારેજા નગરપાલિકા પ્રમુખની સાથે અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.