Skip to main content
Settings Settings for Dark

નાંદોદ: રાણીપરા ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું

Live TV

X
  • નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના રાણીપરા ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે ફિલ્મ નીહાળી ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા શપથ લીધા હતા.

    આ પ્રસંગે ધારાસભ્ય દર્શના દેશમુખે જણાવ્યું કે, સરકાર આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતિત રહી છે. છેવાડાના માનવીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ આવરીને લોકોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે રાજ્ય સરકારે મહત્વના પ્રયાસો આદર્યા છે. સરકારે મહિલાઓ, યુવાનો, ખેડૂતો સહિત બાળકો-કિશોરીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખ્યું છે.

    વધુમાં ધારાસભ્ય ડો.દેશમુખે જણાવ્યું કે, સરકાર પ્રજાની તમામ સમસ્યાઓના નિવારણ માટે હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. સરકારની પ્રત્યેક યોજનાઓનો લાભ લઈને અન્ય લોકોને માર્ગદર્શિત કરવા ધારાસભ્યએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

    ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે જીવનમાં બે મહત્વના મોટા કાર્યોમાં એક લગ્ન પ્રસંગ અને બીજુ પરિવાર માટે સુરક્ષિત પાકું મકાન બનાવવાનું સ્વપ્તન હોય છે. ઘરના પ્રમુખ પર બાળકોના ભણતરનો ખર્ચ, પત્નીની જરૂરિયાતો, માતા-પિતાની કાળજી સહિતની તમામ જવાબદારીઓ હોય છે.  બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પિતા શરૂઆતથી જ ઉચ્ચ શિક્ષણમાં લાગનાર ખર્ચનો અંદાજ લગાવીને બચત શરૂ કરી દે છે, વધુમાં દીકરા-દીકરીના લગ્ન માટે પણ બચત શરૂ કરી દે છે.

    એવામાં, ભણતર અને લગ્નની ચિંતામાં પાકા મકાનનું સ્વપ્ન, સ્વપ્ન જ રહી જાય છે. દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરહંમેશ દરેક ક્ષેત્રના વિકાસ અને છેવાડાના વંચિત માનવી સુધી પહોંચીને તેમની નાનામાં નાની જરૂરિયાતોની દરકાર લીધી છે. પ્રધાનમંત્રીએ પ્રત્યેક ગરીબ અને મધ્યમવર્ગની ચિંતા કરીને પાકા મકાનથી વંચિત લાભાર્થીઓના સપનાને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સાકાર કર્યુ છે.

    વધુમાં લાભાર્થી સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી અમને ગ્રામસભા દ્વારા મળી હતી. આ યોજના થકી સરકારના આર્થિક ટેકના કારણે  જ હું મારા પરિવારને એક પાકુ અને સુરક્ષિત મકાન આપી શક્યો છું. નોંધનીય છે કે, ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને પોતાનું પાકું મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. 1.20 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જેથી જરૂરિયાતમંદ પરિવારોના રહેઠાણની સુવિધા બદલાઈ છે.

    નર્મદા જિલ્લાના ગામેગામ ભ્રમણ કરી રહેલી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' નાંદોદ તાલુકાના રાણીપરા ગામે પહોંચતા 'મેરી કહાની, મેરી જુબાની' કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની અનુભૂતિ અંગે લાભાર્થીઓએ ગ્રામજનો સમક્ષ પોતાની સફળવાર્તા રજૂ કરી હતી.                              

    આ પ્રસંગે રાણીપરા ગામની દીકરી નિર્જલા એસ. વસાવાએ પોતાની સફળવાર્તા ગ્રામજનો સમક્ષ રજૂ કરતા જણાવ્યું કે, મને પૂર્ણાશક્તિના માસિક ચાર પેકેટનો લાભ મળે છે, જેનાથી હું અવનવી વાનગીઓ તૈયાર કરીને આરોગુ છું. આ યોજનાના લાભથી મારું લોહી અને વજન વધ્યું છે. મારા પોષણસ્તરમાં પણ સારો સુધારો થયો છે. અમને દર શનિવારે પોષણની સાથે માસિક ચક્ર, આરોગ્ય, સ્વચ્છતા તેમજ મહિલા સશ્કિતકરણ માટે અનેકવિધ મુદ્દાઓ અંગે જાગૃત કરવામાં આવે છે.

    આ વેળાએ આયુષ્માન કાર્ડના લાભાર્થી કરીના વસાવા જણાવે છે કે, આયુષ્માન કાર્ડના કારણે સીઝેરીયન સેવાઓ તથા મારી વિનામૂલ્યે પ્રસુતિ થઈ છે. આ માટે અમને એક પણ રૂપિયો ખર્ચવો પડ્યો નથી. જે બદલ વસાવા સરકારનો આભાર વ્યક્ત કરે છે.

    ગરૂડેશ્વરના પાનતલાવડી ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' પહોંચતા 'મેરી કહાની, મેરી જુબાની' કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ યોજનાકીય લાભોથી પોતાના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની અનુભૂતિ કરતા લાભાર્થીઓએ ગ્રામજનો સમક્ષ પોતાની સફળ વાર્તાઓ રજૂ કરીને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા હતા.                             

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2025 Max Temp : °C Min Temp : °C
apply