અમદાવાદ: વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે સ્માર્ટ ક્લાસની શરૂઆત કરવામાં આવી
Live TV
-
સંસ્થા દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ ડોનેટ કરવામાં આવ્યો
વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વિકલાંગોને સારું અને ટેકનોલોજી યુક્ત શિક્ષણ મળી રહે તે માટે રાઉન્ડ ટેબલ ઓફ ઇન્ડિયાની લેડીઝ વિંગ દ્વારા સ્માર્ટ ક્લાસની શરૂઆત કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ ડોનેટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અંધજન મંડળ ખાતે મોટી સંખ્યામાં વિકલાંગો જુદા જુદા કોર્સ કરીને રોજગારી મેળવી રહ્યા છે ત્યારે સ્માર્ટ ક્લાસ રૂમના માધ્યમથી તેઓ સુવિધા યુક્ત શિક્ષણ મેળવી શકશે.
