અમદાવાદ : સરદાર ધામ ખાતે સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું CM રૂપાણીએ અનાવરણ કર્યું
Live TV
-
સરદાર પટેલની 50 ફૂટ ઉંચી અને 17 હજાર કિલો વજનની કાંસ્ય પ્રતિમા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે આજથી શરૂ થનારી ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના નિર્ધાર સાથે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સરદાર પટેલની 50 ફૂટ ઉંચી કાંસ્યની પ્રતિમાનું કર્યું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. સમાજનાં છેવાડાનાં કુટુંબનો પણ વિકાસ થાય તેને ધ્યાનમાં લઇને આ વખતના બિઝનેસ સમિટમાં સમરસતાનાં ભાગરૂપે તમામ સમાજનાં લોકો ભાગ લઇ રહ્યા છે. આ વખતે ખેડૂતલક્ષી અને ડેરી ઉદ્યોગ અને મહિલાઓને ખાસ સહાયથી સ્થાન આપવામાં આવ્યું છે.
