આણંદ - 5 જાન્યુઆરીએ સારસામાં યોજાશે વિરાટ ધર્મ સંમેલન,CM આપશે હાજરી
Live TV
-
દેશભરમાંથી સંતો-મહંતો તેમજ રાજકીય આગેવાનો પણ આપશે હાજરી
પાંચમી જાન્યુઆરીએ વિરાટ ધર્મ સંમેલનમાં પૂજ્ય શંકરાચાર્ય, રામાનંદાચાર્ય રામાનુજાચાર્ય, વૈષ્ણવાચાર્ય, જગદગુરુ સહિત વિવિધ સંપ્રદાયની આચર્ય પરંપરામાંથી તથા ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનોની ગાદી પરંપરામાંથી ટોચના સંતો પધારશે. આ ઉપરાંત હિંદુ ધર્મચાર્ય સભા, ભારત સાધુ સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિના વડાઓ તથા વિવિધ અખાડાઓના અગ્રણી મહામંડલેશ્વરો સહિત અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. ૧૮ મા વર્ષે સાધુ બન્યા બાદ સાધુદીક્ષાના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા એ દરમિયાન ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર યોગદાન આપનાર અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજને ચાંદીથી તોળવામાં આવશે. ત્યારબાદ આ રજત તુલાનો સમાજના કલ્યાણ માટે ઉપયોગ કરવાની વિશિષ્ટ યોજનાની જાહેરાત કરાશે.
