અમરેલીના સાવરકુંડલા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જાહેરસભા યોજાઈ
Live TV
-
અમરેલીના સાવરકુંડલા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં જાહેરસભા યોજાઇ હતી. જેમાં સંબોધન કરતાં મુખ્યમંત્રીએ આખુ વિશ્વ આપણો પરિવાર છે તે ભાવના સાથે આજે ભારત દેશ આગળ વધી રહ્યો હોવાની વાત જણાવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે દરેક ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને 180થી વધુ યોજનાઓ બનાવી છે અને તેનો લાભ દરેક વ્યકિતને મળે તેની પણ ચિંતા કરી છે. આજે દેશમાં હોસ્પિટલ, કોલેજો, રોડ-રસ્તા સારા બની રહ્યા છે. દેશની સુરક્ષા પ્રધાનમંત્રીશ્રી ના નેતૃત્વમાં મજબૂત થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે નાયબ દંડક કૌશિકભાઇ વેકરિયા, સાંસદ નારણભાઇ કાછડીયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.