અમરેલીમાં પ્રથમ વખત ભવ્ય ‘ખેડૂત દ્વારા આયોજિત કૃષિ મેળો’નું આયોજન
Live TV
-
આ મેળાની મુલાકાતે મંત્રી કૌશિક વેકરીયા મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે ખેડૂતો માટે આવા મેળાથી ખેડૂતોને લાભ થાય અને નવી ટેકનોલોજી વિશે જાણકારી મળે છે .આ ખેડૂતો દ્વારા આયોજિત ખેડૂતોનો મેળો આવા આયોજનથી ખેડૂતોને ખૂબ જ લાભ થાય છે અને ખેડૂતો ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી તરફ ફરે છે.
અમરેલી જિલ્લામાં પ્રથમ વખત કૃષિ મેળો’નું આયોજન 11, 12 અને 13 એપ્રિલ દરમિયાન થવા જઈ રહ્યું છે. ખેતી આધારિત જિલ્લામાં ખેડૂતોને નવી ટેકનોલોજી, આધુનિક સાધનો અને ખેતી સંબંધિત નવી માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ કૃષિ મેળામાં 150થી વધુ કંપનીઓ દ્વારા કૃષિ સાધનો, દવા, બિયારણ, ખાતર તેમજ આધુનિક મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. ખાસ કરીને ટ્રેક્ટર આધારિત ઓટોમેશન સિસ્ટમ, GPS ટેકનોલોજી, સીડ ડ્રિલ, રોટાવેટર જેવી નવીનતમ ટેકનોલોજી ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અને ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવશે.આયોજકો દ્વારા સમગ્ર ગુજરાતના ખેડૂત મિત્રો માટે આ મેળાને ઉત્સવ સમાન બનાવી મોટી સંખ્યામાં .ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અને આધુનિક ખેતી તરફ આગળ વધવા માટે આ કૃષિ મેળો મહત્વપૂર્ણ સાબિત થશે.
