અમરેલી જિલ્લાને રેલ્વે તંત્રની મોટી ભેટ મળી
Live TV
-
અમરેલી જિલ્લાને રેલ્વે તંત્રની મોટી ભેટ મળી, અમરેલીના ચિતલમાં વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળતા આજે ઊર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા અને સાંસદ ભરત સુતરીયાએ લીલીઝંડી આપીને વંદે ભારત ટ્રેઈનના વધામણા કર્યા.
અમરેલી જિલ્લાના ચિતલ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપ મળવાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ નવી રેલવે કનેક્ટિવિટીથી અમરેલી જિલ્લાના મુસાફરો માટે અમદાવાદ અને સોમનાથ જેવા શહેરો સુધીની મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે. વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સોમનાથ જતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને આ સુવિધાનો સીધો લાભ મળશે. આ પગલાથી અમરેલી જિલ્લાના વેપાર, પ્રવાસન અને રોજગાર ક્ષેત્રે વિકાસને વેગ મળશે.
