આગામી 7 અને 8 જુલાઈએ ગાંધીનગરમાં અર્બન U-20 મેયરલ સમિટ યોજાશે
Live TV
-
આગામી 7-8 જુલાઈએ ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે અર્બન 20 (U20) મેયરલ સમિટ યોજાશે. આ મેયરલ સમિટમાં G-20 દેશોના અનેક શહેરના જનપ્રતિનિધિ અને મેયરો એક મંચ ૫૨ આવશે. આ સમિટમાં વિવિધ શહેરોનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ, ભારતીય અને આંતરાષ્ટ્રીય સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ભારત સરકાર અને રાજ્ય સ૨કા૨ના મહાનુભાવો પણ હાજરી આપશે. આ અંગે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ મેયર સમિટમાં જી-20 દેશોના અનેક શહેરોના હોદ્દેદારો અને મેયરો એક મંચ પર આવે તેવી અપેક્ષા છે. આ સમિટમાં વિવિધ શહેરોનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ, ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ભારત સરકાર અને રાજ્ય સરકારોના મહાનુભાવો પણ હાજરી આપશે.
U20 એ ભારતનું G-20 અધ્યક્ષતા હેઠળનું જોડાણ જૂથ છે. તે શહેરની રાજદ્વારી પહેલ છે જેમાં G-20 દેશોના શહેરોનો સમાવેશ થાય છે, જે ટકાઉ વિકાસના વૈશ્વિક કાર્યસૂચિને આગળ વધારવામાં શહેરોની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.