આજથી 24 એપ્રિલ સુધી મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જુગનાથ ભારતની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણનો સ્વીકાર કરીને, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દકુમાર જુગનાથ, પત્ની કોબિતા જગન્નાથ, અને ઉચ્ચ કક્ષાના પ્રતિનિધી મંડળ સાથે 17 થી 24 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવશે. આ યાત્રા દરમિયાન શ્રી પ્રવીંદ આગામી 19મી તારીખે ગુજરાતના જામનગર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થાના પરંપરાગત વૈશ્વિક આરોગ્ય સંસ્થાના આધારશિલા મૂકશે. 20મી એપ્રિલે તેઓ ગાંધીનગર ખાતે યોજાનાર વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનીકરણ સંમેલનમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ વારાણસીની મુલાકાત પણ લેશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારત અને મોરેશિયસ વિશીષ્ઠ ગાઢ સંબંધ ધરાવે છે. બંને દેશોના સંબંધ સમાન ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાથી બંધાયેલા છે. મોરેશિયસના પ્રધાનમંત્રીનો ભારત પ્રવાસ જીવંત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે.
