આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો 64મો જન્મદિવસ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે એટલે કે 2 ઓગસ્ટે 64માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી પ્રજાહિતના કામો દ્વારા અને આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહી સામાન્ય માનવીની રોજી-રોટીની ચિંતા કરનારા સંવેદનશીલ વ્યક્તિ તરીકે નાગરિકોમાં લોકપ્રિય છે.
આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો 64મો જન્મદિવસ છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જે,પી નડ્ડા, પ્રકાશ જાવડેકર, ગુજરાત ભાજપના નેતાઓએ ટ્વિટ કરીને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી, જન્મદિવસની શુભકામના પાઠવી હતી.. 2 ઓગસ્ટ 1956માં વિજયભાઇનો જન્મ બર્માના રંગૂનમાં થયો હતો જન્મની સાથે જ તેઓ 1960માં પરિવાર સાથે રાજકોટ આવી ગયા હતા ત્યારથી રાજકોટમાં જ વસવાટ કરી રહ્યા છે . તેઓ જન્મે બર્મીસ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં તેઓ કર્મે ગુજરાતી બની ગયા હતાં.. વિજયભાઈ રૂપાણી 1971ની સાલમાં આરએસએસ અને જનસંઘ સાથે જોડાયા હતા વિજયભાઈ રૂપાણીને વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં રુચિ હતી આ રુચિને પૂરી કરવા માટે એબીવીપીના કાર્યકર્તા તરીકે જોડાઈને રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો,.. તેઓ માત્ર 24 વર્ષની ઉમરે ભાજપમાં જોડાયા હતા. તેઓએ બીએ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. 1987 માં રાજકોટ કોર્પોરેશનની ચૂટણી જીતીને તેઓ કોર્પોરેટર બન્યા હતા. 1987 માં કોર્પોરેટર બન્યા બાદ તેઓ 1996 થી 1997 એક વર્ષ સુધી રાજકોટ મહાનગર પાલિકાના મેયર પણ રહી ચૂક્યા છે તે ઉપરાંત 1988થી 1995 એટ્લે કે 8 વર્ષ સુધી તેઓ સ્ટેન્ડિંગ ચેરમેન પદ પણ સંભાળી ચૂક્યા છે આ ઉપરાંત 4 ટર્મ સુધી તેઓને મહામંત્રી અને પ્રવક્તાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. 2016માં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામુ આપી દીધા બાદ 5 ઓગસ્ટ 2016ના રોજ તેઓની મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. ત્યાર બાદ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઝળહળતો વિજય અપાવ્યો હતો અને ફરીથી 22 ડિસેમ્બર 2017ના રોજ મુખ્યમંત્રી તરીકે રિપીટ વરણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે એટલે કે 2 ઓગસ્ટે 64માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી પ્રજાહિતના કામો દ્વારા અને આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહી સામાન્ય માનવીની રોજી-રોટીની ચિંતા કરનારા સંવેદનશીલ વ્યક્તિ તરીકે નાગરિકોમાં લોકપ્રિય છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ પોતાનો જન્મ દિવસ વિવિધ પ્રજાલક્ષી કાર્યો કરીને જ ઉજવવાના છે. જે અંતર્ગત આજે બપોરે તેઓ સૂરતની કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની ખબર અંતર પૂછવા જશે. તેઓ ત્યાં કોરોના સંક્રમણ-નિયંત્રણની સમીક્ષા પણ કરશે. આ ઉપરાંત આજે સવારે 10 30 વાગ્યે તેઓ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા 71માં વન મહોત્સવનો રાજકોટ ખાતે પ્રારંભ કરાવશે. કોરોના મહામારીમાં નાના વેપારીઓ અને શ્રમિકોએ વધારે તકલીફ ભોગવી છે. આવા નાના રોજગાર વેપાર કરનારા લોકોને રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા અપાનારી રૂ. 100 કરોડની લોન સહાય ચેકનું વર્ચ્યુઅલ વિતરણ પણ તેઓ ગાંધીનગરથી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી કરશે.