આણંદ ખાતે મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં "વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ આણંદ" કાર્યક્રમ યોજાયો
Live TV
-
આણંદ ખાતે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ આણંદ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત જિલ્લાના ૭૮ એકમો સાથે રૂપિયા ૧૪૯૫ કરોડનાં સમજૂતી કરારો કરવામાં આવ્યા.કાર્યક્રમને સંબોધતા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમથી રાજ્યના ઉદ્યમીઓને નવું બળ મળ્યું છે અને રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે.
'વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ સુરેન્દ્રનગર" કાર્યક્રમના બીજા દિવસે આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે સ્ટાર્ટ અપ અને ઈનોવેશન સેમિનાર યોજાયો હતો. જેમાં મહિલા ઉદ્યોગકારો, સ્વસહાય જૂથો અને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પર ભાર મૂકાયો છે અને બાળકો ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધે તે માટે આ સેમિનાર યોજવામાં આવ્યો છે. દરમિયાન જીટીયુના સ્ટાર્ટઅપ તજજ્ઞ અતુલ મકવાણાએ સ્ટાર્ટઅપ અને SSIP વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી જ્યારે જિલ્લા કલેક્ટરે વિધ્યાર્થીઓને નોકરીશોધક કરતાં નોકરીદાતા બનવા માટે હાંકલ કરી હતી
