આહવા ખાતે “કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
ડાંગ જિલ્લાના આહવા ખાતે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં “કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાના આહવા ખાતે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં “કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કુંવરજી હળપતિ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, લોકોએ પોતાના ઘર, આંગણુ, જાહેર સ્થળો, ઓફિસો વગેરેમાં સ્વચ્છતા જાળવવી જરૂરી છે. ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેમા મહિલાઓને પગભર કરવા માટે દુધાળા પશુઓની જોગવાઇ કરવામા આવી છે. તો દરેક ગ્રામ્ય વિસ્તારમા નેટવર્ક સમસ્યા દુર થાય તે માટે 50 જેટલા ટાવર પણ ઉભા કરવામા આવશે. આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ પ્રજાજનો માટે એક હેલ્પલાઇન સેવા 81718 37183 શરૂ કરી કોઇપણ સમસ્યા માટે આ નંબર ઉપર વોટ્સેએપ સંપર્ક સાધવા અપીલ કરી હતી.
