મેળાના બીજા દિવસે અંબાજીમાં 4.68 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, દાનની આવક 19.10 લાખ
Live TV
-
યાત્રા ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મેળાના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડયું, 4.68 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કર્યા.
યાત્રા ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મેળાના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડયું, 4.68 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કર્યા. બે દિવસમાં યાત્રા ધામ અંબાજી ખાતે 7.43 લાખથી વધુ યાત્રિકોએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી. મંદિર ટ્રસ્ટના વિવિધ પ્રસાદ કેન્દ્રો ઉપર 2.16 લાખ પ્રસાદના પેકેટોનું વેચાણ થયું હતું, ચીકીના પણ 9 હજાર પેકેટ વહેંચાયા હોવાનું જાણવા મળેલ છે. અંબાજીમાં ઓનલાઇન પ્રસાદના વેચાણ માટે 6 વેન્ડીંગ મશીન મુકાયા છે. બીજા દિવસે અંબાજી મંદિરમાં દાન ભેટની આવક રૂપિયા 19 લાખ 10 હજાર નોંધાઈ હતી, જ્યારે મંદિરના શિખરે 332 ધજાઓ ચઢી હતી.
આ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ મંદિરમાં દર્શન કર્યા હતા.સાથે જ અંબાજી નજીક થયેલા અકસ્માતની કલેક્ટર અને SP પાસેથી વિગતો મેળવી હતી અને અક્સમાતમાં ઈજાગ્રસ્ત થયેલ લોકો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.
