આ વર્ષે કોરોના મહામારીને લઈને સરકાર દ્વારા ભાદરવી પુનમનો મેળો રદ કરવામાં આવ્યો
Live TV
-
અંબાજીમાં યોજાતા ભાદરવી પુનમના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈને સરકાર દ્વારા ભાદરવી પુનમનો મેળો રદ કરવામાં આવ્યો છે તેમજ મંદિર પણ બંધ રાખવામાં આવ્યું છે. આ મેળામાં લાખો માઈભક્તો ધજા પતાકાઓ સાથે પગપાળા પણ આવતા હોય છે. તેમાંથી દર વર્ષે 200 જેટલાં ભાવિકો સાથે અમદાવાદથી નીકળતા વ્યાસવાડી પગપાળા સંઘે પણ ભાદરવી પુનમે નીકળતી સામુહિક પદયાત્રા મોકૂફ રાખી છે.જો કે, સંઘના માત્ર અગ્રણીઓ જ પગપાળા અંબાજી પહોંચ્યાં હતાં અને શ્રાવણમાં જ માતાજીને ધજા અર્પણ કરી હતી. આ તકે સંઘના અંગ્રણીઓએ માતા આદ્યશક્તિ સમક્ષ કોરોના મહામારીમાંથી સૌને મુક્ત કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.
