ઉનાકાંડના પીડિતો સહિત 300 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
Live TV
-
બૌદ્ધ ધર્મના 3 સાધકોએ આ દલિત પરિવાર સહિતના 300 લોકોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવ્યો હતો.
ઊનાના સમઢીયાળા કાંડના પીડિતો સહિત 300 જેટલા દલિત લોકોએ આજે હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે. પીડિત પરિવારે સરકાર પર આક્ષેપો કરતાં બાબાસાહેબ આંબેડકરની જેમ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યા છીએ તેવું કહ્યું હતું.
આશરે દોઢ વર્ષ પહેલા ઉનાના સમઢીયાળા ગામના દલિત પરિવારને કેટલાક લોકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ મારનો વીડિયો દેશભરમાં વાયરલ થયો હતો અને તેના બાદ તેનો લોકોએ વિરોધ પણ કર્યો હતો.
બૌદ્ધ ધર્મના 3 સાધકોએ આ દલિત પરિવાર સહિતના 300 લોકોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. આ પ્રસંગે દલિત સમાજના આગેવાનોએ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. જો કે સમઢિયાળા ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જીલ્લાના એસ.પી. અને ૨ ડી.વાય.એસ.પી. સહિત કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
