ઉપેન્દ્રસિંહ પ્રજાપતિને ફરજમાં બેદરકારીને લઈ નાયબ વન સંરક્ષક દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા
Live TV
-
છોટાઉદેપુર વન વિભાગે ખેરના લાકડાનો જથ્થો ઝડપ્યાના મામલે બીટગાર્ડ ઉપેન્દ્રસિંહ પ્રજાપતિને ફરજમાં બેદરકારીને લઈ નાયબ વન સંરક્ષક દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે,ગત 27 મી ડિસેમ્બર ના રોજ સિંગલા બીટના બાડવાવ ગામેથી ટ્રેક્ટર સાથે ખેરના લાકડાનો 1.614 ઘન મીટર જથ્થો વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં વન વિભાગ દ્વારા ટ્રેક્ટર ચાલક અને માલિક બંનેની અટકાયત કરી હતી,ગ્રામજનો અને અટકાયત કરાયેલ આરોપીઓ દ્વારા ખેરના વૃક્ષ ખુદ બીટગાર્ડ ઉપેન્દ્ર પ્રજાપતિ દ્વારા કાપવામાં આવ્યા હોવાનું અને ટ્રેકટર માં ભરાવ્યા હોવાનો આરોપ લગાવતા સમગ્ર મામલે તટસ્થ તપાસ થઈ શકે તે માટે બીટગાર્ડ ને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું નાયબ વન સંરક્ષકે જણાવ્યું છે.
