ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વાપીમાં યોગ શિબિરમાં આપી હાજરી
Live TV
-
યોગ જાગરણ સમિતિ વલસાડ-વાપી દ્વારા યોગ વિશે લોકોમાં જાગૃતતા આવે અને લોકો યોગ કરી પોતાનું શરીર તંદુરસ્ત રાખે એવા આશય સાથે યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના VIA મેદાન ખાતે કરવામાં આવેલ આયોજનમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચાલી રહેલ લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે વલસાડ-ડાંગના બીજેપીના ઉમેદવાર ધવલભાઈ પટેલ,રાજ્યના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ પણ આ શિબિરમાં ભાગ લીધો હતો.
ઉપસ્થિત ધવલ પટેલે જણાવ્યું હતું કે, દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ યોગને લોકો સુધી પહોંચાડનાર અને લોકોને તંદુરસ્ત રહેવાની પ્રેરણા આપનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા, અને વધુ ને વધુ લોકો યોગ કરતા થાય તેવી અપીલ કરી હતી.
