ઓપરેશમ 'સિંદૂર' બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે
Live TV
-
'ઓપરેશન સિંદૂર' બાદ પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મેએ ગુજરાત આવી રહ્યા છે. 26 મેએ સવારે 10 વાગ્યે પીએમ મોદીનો વડોદરામાં રોડ શો યોજાશે. ત્યાર બાદ બપોરે 2 વાગ્યે ભુજમાં અને સાંજે 6.30 વાગ્યે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે. પીએમના રોડ શોને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો સાંજે 4 વાગ્યાથી બંધ
અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોમાં 50 હજાર લોકો હાજર રહે તેવી શક્યતા છે. રોડ શોને લઈને ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો માર્ગ સોમવારે સાંજે 4 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા. એરપોર્ટ જનાર લોકોને નિયત સમય કરતા 2 કલાક વહેલા જવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
રોડ શોના રૂટ પર રિહર્સલ કરાયું
અમદાવાદ પોલીસે રોડ શોના રૂટ પર રિહર્સલ કર્યું હતું. પોલીસે કારના કોન્વોય સાથે રિહર્સલ કર્યું હતું. રોડ શોના રૂટને તિરંગા કલરના કાપડના પટ્ટાઓથી સુશોભિત કરાયો છે. એરપોર્ટ સર્કલ પર વિવિધ નાઈટ લાઈટિંગ સાથે LED સ્ક્રીન લગાવાઈ છે. ઓપરેશન સિંદૂરના હોર્ડિગ્ઝ સાથે વિવિધ પ્રતિકૃતિઓ પણ મુકાશે. અમદાવાદમાં રૂટ પર તિરંગા, બ્રહ્મોસ અને રાફેલનાં ટેબ્લો મુકાશે.
વડોદરામાં સુરક્ષા એજન્સીઓની ચહેલપહેલ શરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,, ગુજરાત પ્રવાસ અંતર્ગત,, તેઓ વડોદરા શહેરની પણ મુલાકાત લેશે.. આ મુલાકાતના અનુસંધાને,, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ,, તથા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા,, આ કાર્યક્રમ સંદર્ભે, 150 થી વધુ અધિકારીઓને,, ફરજ સોંપવામાં આવી છે.. અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.
વડોદરા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, નારી શક્તિ દ્વારા અભિવાદન –સન્માન કરાશે.. જે માટેની તૈયારીઓ,, તડામાર ચાલી રહી છે.. તેમજ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને NCC સ્કાઉટના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત,, સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે,, ડેપ્યુટી કલેક્ટર દ્વારા માહિતી, આપવામાં આવી હતી.
દાહોદ શહેરમાં દીવાળીના તહેવાર જેવો માહોલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,, આવતીકાલે દાહોદની મુલાકાત લેવાના છે. તેના પગલે દાહોદમાં નયનરમ્ય રોશની કરવામાં આવી છે.. તેમજ મુખ્ય માર્ગો ઉપર તિરંગા લગાવવામાં આવ્યા છે. જેને નિહાળવા માટે,, દાહોદમાં મોડી રાત સુધી સ્થાનિકો ઉમટી પડ્યા હતા. જેના કારણે શહેરમાં દીવાળીના તહેવાર જેવો માહોલ લાગતો હતો.. દાહોદના ગોધરા રોડ ખાતે આવેલ,, મુખ્ય પ્રવેશદ્વાર તેમજ સ્ટેશન વિસ્તારને પણ,, સુંદર રીતે સજાવામાં આવ્યો છે.. પ્રધાનમંત્રી ઓપરેશન સિંદૂર બાદ, પ્રથમ વાર દાહોદની મુલાકાતે આવવાના હોવાથી,, સ્થાનિકોમાં પણ ઉત્સાહનો માહોલ છે.