કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગ ઝુંબેશ હાથ ધરાઇ
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના પગલે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગ ની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં રાજધાની સ્પેશિયલ ટ્રેન મારફતે આવેલા 819 પ્રવાસીઓમાંથી ૧૩ અને પોઝિટિવ કેસ નોંધાયા હતા તથા મુજફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન મારફતે આવેલા 577 પ્રવાસીઓમાંથી ત્રણ કેસ મળી આવ્યા હતા.
જ્યારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે ૩૯૬ જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. જેમાંથી એક પણ કેસ પોઝિટિવ મળી આવ્યો નથી આમ કુલ 1,782 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૬ કેસો પોઝિટિવ મળી આવ્યા હતા
