કિસાન પરિવહન યોજના માટે ખેડૂતો 4 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે
Live TV
-
આઇ ખેડૂત પોર્ટલ તા.4 ડિસેમ્બર 2023 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.
રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના માટે અરજીઓ મેળવવા માટે આઇ ખેડૂત પોર્ટલ તા.4 ડિસેમ્બર 2023 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જેમા વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની 110 ટકા મર્યાદામાં વહેલા તે પહેલાનાં ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી કરવામાં આવી છે. જે ધ્યાને લઇ રાજ્યના ખેડૂતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે તેમજ પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
