કૃષિ મંત્રી રાઘવજી પટેલે પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી
Live TV
-
વિશ્વમાં અમન અને શાંતિ બની રહેએ માટે પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમતા ખાતે આયોજિત જૈન સમાજના નેમિનાથ પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યાં હતા. તેઓએ જૈન મુનિ આચાર્ય નિર્ભય સાગર મહારાજના આશીર્વાદ લીધા.
વિસનગર તાલુકાના ઉમતા ગામે આદિનાથ દિગમ્બર જૈન મંદિર ખાતે દિગંબર જૈન સમાજ દ્વારા પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વના કલ્યાણ માટે બધા જીવ, બીજા જીવનો આદર કરે અને પોતે કર્મોથી મુક્ત થઈ સાશ્વત સુખ અને શાંતિ પ્રાપ્ત કરે તથા વિશ્વમાં અમન અને શાંતિ બની રહેએ માટે આયોજન કરવામાં આવ્યું હતું.
નેમિનાથ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આદિનાથ ભગવાનના દર્શન કર્યા હતા. આ પાવન પર્વ પર કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિગંબર જૈન મુનિ પ.પૂ રાષ્ટ્રીય સંત ગીરનાર પંચમ પટ્ટાચાર્ય ૧૦૮ શ્રી નિર્ભયસાગરજી મહારાજનાં આશીર્વાદ લઈને ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે, ખેડૂતો પ્રગતિશીલ બને, સૌનું કલ્યાણ થાય એ માટે પ્રાર્થના કરી હતી.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે નેમિનાથ પંચકલ્યાણ સમિતિ દ્વારા સંચાલિત ગૌ શાળા અને અપના ઘર આશ્રમની મુલાકાત પણ લીધી હતી. અને આ સંસ્થાના વિકાસ માટે શુભેચ્છા પાઠવી હતી.