કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરાઈ
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં વનવિભાગ દ્વારા નાગવા થી વડલીમાતાના 6 કીલોમીટરના રસ્તાની આજુબાજુ વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દિવના નાગવા થી વણકબારા રસ્તા ઉપર પોઠીયા દાદા મંદિર, નાગવા થી વણકબારાના વડલીમાતા શાળા સુધી ના 6 કીલોમીટર રસ્તાની બંને બાજુ વૃક્ષારોપણ દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાય હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ગત સમયમાં દીવ પ્રદેશમાં આવેલા તોકતે વાવાઝોડાથી દીવના ઘણા બધા વૃક્ષો પડી ગયા હતા તેની આપૂર્તિ અર્થે દીવ પ્રશાસકના દિશા નિર્દેશ અનુસાર દીવ માંથી ખોવાયેલી કુદરતી સુંદરતાને પાછી લાવવા માટે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
