Skip to main content
Settings Settings for Dark

ખેડબ્રહ્માના આંગણવાડીના બાળકો દ્વારા રામાયણની ઝાંકી પ્રસ્તુત કરાઇ

Live TV

X
  • નાના બાળકો દ્વારા શ્રીરામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી અને શબરીના પાત્રો ભજવવામાં આવ્યાં હતાં.

    તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેની ઉજવણી રૂપે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહી છે.  તે અંતર્ગત સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરના ભાટવાસમાં આવેલ આંગણવાડીના નાના બાળકોએ પણ વેશભૂષા ભજવીને ઉજવણીમાં ભાગ લીધો હતો.

    આંગણવાડી કાર્યકર દ્વારા નાના બાળકોને શ્રીરામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી અને શબરીના પાત્રો દ્વારા વનવાસ દરમિયાન શબરી બોર ખવડાવે છે તે સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરાની ઝાંકી તૈયાર કરાવીને બાળકોને પ્રોત્સાહિત કયાઁ હતા.

    કાર્યકર છાયા રાવલે જણાવ્યું હતું કે; રામાયણના પાત્રોની શુ ભૂમિકા હતી તે અંતર્ગત આંગણવાડીમાં મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈસીડીએસના સુપરવાઈઝર કિરણ પટેલ, ફેસેલીટર મીના જોષી તથા વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
apply