ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ સમિટનું PM નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે
Live TV
-
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યુ હતુ કે, આયુષ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યમાં વિવિધ કાર્યકમ યોજાનાર છે.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યુ હતુ કે, આયુષ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યમાં વિવિધ કાર્યકમ યોજાનાર છે. જે અંતર્ગત જામનગર ગ્લોબલ સેન્ટરમાં WHOનું ટ્રેડિશનલ મેડિકલનું કેન્દ્ર બની રહેશે. જે ભારત અને ગુજરાત માટે ગર્વની વાત હશે.
મનોજ અગ્રવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વિગતો આપતા વધુમાં જણાવ્યું કે, તારીખ 20 એપ્રિલ થી 22 એપ્રિલ દરમિયાન ગ્લોબલ આયુષ સમિટનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરાયુ છે. જેનુ ઉદ્ઘાટન પ્રધાનમંત્રી કરશે. આ પ્રસંગે તેમની સાથે મોરિશિયશના પ્રધાનમંત્રી અને WHOના ડાયરેકટર હાજર રહેશે. આ દરમિયાન આયુષની ફાર્મા કંપનીનો વ્યાપ વધારવા માટે વધુ સંસ્થાઓ સ્થાપવામાં આવે તે અંગે ચર્ચા કરાશે.
