ગાંધીનગરમાં ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્યપાલ ઓ.પી.કોહલીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભમાં ૩ર શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ, પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કારોથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં બોલતા રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મત વ્યક્ત કર્યો હતો કે વિદ્યાર્થીઓમાં અક્ષરજ્ઞાનની સાથે વ્યકિતત્વ ઘડતરના શિક્ષણ માટે ગુરૂ-શિક્ષકની સવિશેષ જવાબદારી છે અને તે માટે શિક્ષકોએ સ્વયં તૈયાર થવું તે આજના સમયની તાતી જરૂરીયાત છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પડકારો અને સંભાવનાઓ વચ્ચે સમન્વય સાધીને સરકારી શાળાના બાળકોને ધગશ-પ્રોત્સાહન આપીને ધાર્યા પરિણામો મેળવી શકાશે.
