ગીરના સિંહોની સુરક્ષા માટે વન વિભાગની કવાયત: વેક્સિનેશન અને ડી-ટીકીંગની કામગીરી સઘન
Live TV
-
ગીર વિસ્તારમાં સિંહોમાં જોવા મળેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા રોગ નિયંત્રણ અને સારવાર માટેના ઘનિષ્ઠ પગલાંઓ લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ અંગે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આપવામાં આવેલા દિશા-નિર્દેશો મુજબ, વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડીયાના માર્ગદર્શન હેઠળ સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.વન વિભાગ દ્વારા ગીરના સિંહોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે વેક્સિનેશન, યોગ્ય સારવાર અને 'ડી-ટીકીંગ' (D-ticking)ની પ્રક્રિયા સઘન બનાવવામાં આવી છે. આ પગલાંઓનો મુખ્ય ઉદ્દેશ્ય રોગચાળાને ફેલાતો અટકાવવાનો અને સિંહોના કુદરતી નિવાસસ્થાનમાં તેમની વસ્તીને સુરક્ષિત રાખવાનો છે. વન વિભાગની વિવિધ ટીમો દ્વારા સિંહોના આરોગ્ય પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કરીને રોગચાળા પર તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાય.
