ગુજરાતઃ રાજયમાં કોરોનાના વધુ 1024 કેસ, 14 દર્દીના કોરોનાથી મોત, રિક્વરી રેટ 80 ટકા
Live TV
-
રાજ્યમાં કોરોનાનો કેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1 હજાર 204 કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં સૌથી વધુ 251 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાનો કેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1 હજાર 204 કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં સૌથી વધુ 251 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 179, વડોદરામાં 120, રાજકોટમાં 97, જ્યારે ગાંધીનગરમાં 34 કેસ નોંધાયા છે. જ્યારે બીજી તરફ જામનગરમાં 77, જૂનાગઢમાં 32, ભાવનગરમાં 27, પંચમહાલમાં 44, કચ્છમાં 38, ભરૂચમાં 31, અમરેલીમાં 29, દાહોદમાં 28, મહેસાણામાં 27, મોરબીમાં 20, પાટણમાં 15, નર્મદામાં 11, કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં સર્વાધિક 1 હજાર 324 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે આજે 14 દર્દીઓના મૃત્યુ થયેલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના એક દિવસના સર્વાધિક કુલ 72 હજાર 857 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
