ગુજરાતને યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' જાહેર કરતું પ્રમાણપત્ર અર્પણ
Live TV
-
ગરબા સહિત કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની 'અમૂર્ત ધરોહર'ની યાદીમાં સમાવિષ્ટ
યુનેસ્કો દ્વારા 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. 22 માર્ચ 2024ના રોજ યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ શ્રીમતી ઓડ્રે અઝોલે આ પ્રમાણપત્ર પેરિસ ખાતે ગુજરાત વતી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને વિધિવત અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના ગરબાના સમાવેશની સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની 'અમૂર્ત ધરોહર' ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે.
