ગુજરાતમાં લોકડાઉનમાં બધુ બંધ કરી દેવાની અટકળોને મુખ્યમંત્રીએ ગણાવી અફવા
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું છે કે રાજ્યમાં કેટલાક લોકો આગામી 1 જૂન થી લોક ડાઉન 5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે એવી વાતો ફેલાવી રહ્યા છે. આ વાતો માત્ર અફવા છે અને નાગરિકો આવી ખોટી અફવાઓથી દૂર રહે તેમ પણ મુખ્યમંત્રી એ સ્પષ્ટપણે જણાવ્યું છે.:છેલ્લા ઘણા દિવસોથી લોકડાઉન લંબાવવાની અને તમામ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવશે તેવી ચોરેને ચૌટે ચર્ચા ચાલતી હતી.જેને કારણે દહેશત અને લોકોમાં ગભરાટનો મહાલો પેદા થતો હતો.આ તમામ અટકળો અને અફવાઓનું મુખ્યમંત્રીએ ખંડન કરીને લોકોને નિશ્ચિંત રહેવા જણાવ્યું છે.
