ગુજરાત યુનિવર્સિટીમાં NSS સહકાર સમિતિની બેઠક મળી
Live TV
-
ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાની ઉપસ્થિતિમાં એન.એસ.એસ. સહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સલાહકાર સમિતિના સભ્યો રાજ્ય સરકારના અધિકારીઓ પૂર્વ કુલપતિ ડૉ. જગદીશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમ્યાન આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કરવાના કાર્યક્રમોની વિચારણા હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારએ એન.એસ.એસ. પ્રવૃતિઓ કોલેજોને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરેલ છે. આ ગ્રાન્ટમાં કરેલ વધારાની સરાહના કરતો ધન્યવાદ પ્રસ્તાવ મોકલવાનું નક્કી કરાયું હતું. આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાર્થક કરતી પ્રવૃતિઓ હાથ ધરવા ચર્ચા કરાઈ હતી.
એન.એસ.એસ.ના સેવાભાવી કો-ઓર્ડીનેટર ડૉ. નટુભાઈ વર્માએ એન.એસ.એસ.ની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો.