ગૃહમંત્રી અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારમાં કરશે વિકાસકાર્યોનું લોકાર્પણ
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહ 27 ફેબ્રુઆરીના રોજ પોતાના સંસદીય વિસ્તારમાં કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે.
ગૃહમંત્રી અમિત શાહ 27 ફેબ્રુઆરીના રોજ પોતાના સંસદીય વિસ્તારમાં કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે. ગૃહમંત્રી 27 ફેબ્રુઆરીના રોજ કલોલના મધ્યે આવેલા કપિલેશ્વર મહાદેવના પૌરાણિક મંદિર તેમજ મંદિરના તળાવના કામની સમીક્ષા કરી જરૂરી માહિતી મેળવી સ્થાનિક સત્તાધીશો અને અધિકારીઓને માર્ગદર્શન આપશે. જયારે કલોલ તાલુકાના સઈજ ગામની સીમમાં હાઈવે પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંસ્થાની ખાનગી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ઉપસ્થિત જન મેદનીને સંબોધન કરશે.