ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા કાલે સુરતમાં નવનિર્મિત પાંડેસરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે
Live TV
-
બપોરના ૧૨ વાગ્યે સુરત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નવનિર્મિત પોલીસ કેન્ટીન તથા જવાનો માટેના ડાઈનિંગ શેડને ખુલ્લા મૂકશે. ૧૨:૧૫ વાગ્યે પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઈનામ વિતરણ કર્યા બાદ ૧૨:૩૦ વાગ્યે સુરત શહેર પોલીસ કમિશનરેટ રિસ્ટ્રક્ચરીંગ અને રિવ્યુ મિટીંગમાં હાજરી આપશે.
ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા આવતીકાલે ૧૭ જુલાઈના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે નવનિર્મિત પાંડેસરા પોલીસ સ્ટેશન તેમજ શહેરના ચાર પોલીસ સહાયતા કેન્દ્રનું લોકાર્પણ કરશે. બપોરના ૧૨ વાગ્યે સુરત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નવનિર્મિત પોલીસ કેન્ટીન તથા જવાનો માટેના ડાઈનિંગ શેડને ખુલ્લા મૂકશે. ૧૨:૧૫ વાગ્યે પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઈનામ વિતરણ કર્યા બાદ ૧૨:૩૦ વાગ્યે સુરત શહેર પોલીસ કમિશનરેટ રિસ્ટ્રક્ચરીંગ અને રિવ્યુ મિટીંગમાં હાજરી આપશે. બપોરે ૪.૧૫ વાગ્યે દક્ષિણ ગુજરાત વિજ કંપની- DGVCLની કચેરી, વરાછા રોડ ખાતે ઉર્જા વિભાગની કામગીરીની રિવ્યું પ્રેઝન્ટેશન બેઠકમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૦૬:૦૦ વાગ્યે GIDC એસોસિએશનના સહયોગથી નિર્મિત કડોદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. રાત્રીરોકાણ સુરત સર્કીટ હાઉસ ખાતે કરશે. અને 18 જુલાઇના રોજ સવારે ૧૦ વાગ્યે નવસારી જવા રવાના થશે.
