ચાંદીપુરાઃ પંચમહાલ પહોંચી પુણેના વૈજ્ઞાનિકોની ટીમ
Live TV
-
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 14 શંકાસ્પદ અને પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી પાંચ બાળકોના મોત થયા છે.
ગુજરાતમાં ચિંતાનો વિષય બનેલા ચાંદીપુરા વાયરસને લઈને પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ની પાંચ સભ્યોની ટીમ પંચમહાલ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં સમીક્ષા કરવા પહોંચી હતી, પંચમહાલ જિલ્લામાં આ વાયરસના 14 શંકાસ્પદ અને પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી પાંચ બાળકોના મોત થયા છે. સમીક્ષા કરવા આવેલા વૈજ્ઞાનિકોએ ગોધરાની સિવિલ હોસ્પિટલમાં તબીબો સાથે ખાસ બેઠક યોજી હતી. આ પછી આ સભ્યોએ વાયરસથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. ગોધરા તાલુકાના કોટરા ગામમાં અનેક લોકોને મળીને માહિતી એકત્ર કરવામાં આવી હતી. કેટલાક બાળકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
