ચેરાપુંજીમાં કૂવા સફાઇ હાથ ધરાઉ
Live TV
-
નગરપાલિકાએ કૂવા પુનઃજીર્વિત કરવા સાથ આપ્યો.
ગુજરાતના ચેરાપુંજી સમાન ગણાતા વલસાડમાં પાણીની તંગીને નિવારવા, પારસીવાડાના લોકોએ અનોખું અભિયાન હાથ ધર્યું છે. પારસીવાડામાં પાણીની તંગી નિવારવા, વર્ષો જૂના કૂવાઓની સાફસફાઈ કરી પીવાલાયક પાણી મેળવવા કૂવા સફાઈ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન સ્થાનિક લોકોએ સ્વયંભૂ રીતે હાથમાં લીધું છે. સ્થાનિકો દ્વારા બે કૂવાઓની સફાઈ હાલ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે, કે વર્ષો અગાઉના કુવાઓ જેમાં અત્યારે કચરો ભરાઈ ગયો છે અથવા માટીના પુરાણથી પુરાઈ ગયા છે, તેને પુનર્જીવિત કરવાનો વિચાર સ્થાનિકોને આવતા નગરપાલિકાને જાણ કરી હતી, અને નગરપાલિકાએ કૂવા પુનઃજીર્વિત કરવા સાથ આપ્યો હતો.