પં. દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં લાભાર્થીઓની સહાયમાં વધારો કરતી રાજ્ય સરકાર
Live TV
-
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત બક્ષી પંચની 142 જાતિઓ, 40 વિચરતી અને વિમુક્ત જાતિઓ અને 58 બિનઅનામત સવર્ણ જાતિઓને મકાન બનાવવા મળતી સહાયમાં 50,000 રૂપિયાનો વધારો જાહેર કરતી રાજ્ય સરકાર - 70,000 ના બદલે હવે 1,20,000 રૂપિયા મળશે સહાય
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત બક્ષીપંચની 142 જાતિઓ, 40 વિચરતી અને વિમુક્ત જાતિઓ અને અંદાજે 58 બિનઅનામત સવર્ણ જાતિઓ તેમજ ડૉ.આંબેડકર આવાસ યોજના અંતર્ગત 36 અનુસૂચિત જાતિઓને હાલ પોતાનું મકાન બનાવવા માટે રૂપિયા 70000ની સહાય મળે છે. આ સહાયમાં રૂપિયા 50000નો એટલે કે 70 ટકા ઉપરાંતનો માતબર વધારો કરીને રૂપિયા 1,20,000 કરતાં સામાજિક ન્યાય મંત્રીશ્રી પરમારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અગાઉ 14-8-2014ના ઠરાવથી રૂપિયા 45000ની સહાયમાં વધારો કરી રૂપિયા 70000 કરવામાં આવ્યો હતો. પરંતુ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાણાંમંત્રીશ્રી નિતીનભાઇ પટેલને પ્રધાનમંત્રી આવાસા યોજનાના રૂપિયા 1,20,000 સાથે સુસંગતતા પ્રસ્થાપિત કરવાની રજૂઆત કરતાં ગુજરાત રાજય હેઠળની આવાસ યોજનામાં પણ અનુસૂચિત જાતિઓ, બક્ષીપંચની જાતિઓ, વિચરતી-વિમુક્ત જાતિઓ અને બિન અનામત આર્થિક પછાત જાતિઓને હવેથી મકાનદીઠ રૂપિયા 1,20,000ની સહાય અપાશે.