છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 31 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા હતા. જ્યારે 113 દર્દી સાજા થયા હતા. અમદાવાદમાં 9, સુરતમાં 7, રાજકોટમાં 1, વડોદરામાં 5, અને કચ્છમાં 1 કેસ નોંધાયો હતો. તો રાજ્યમા આજે એક પણ વ્યક્તિનું મૃત્યુ નોધાયુ નથી. આજે રાજ્યમા 2 લાખ , 53 હજાર , 308 લોકોનું , રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી બે કરોડ 83 લાખ 68 હજાર 489 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના થી સાજા થવાનો દર 98.69 ટકા થયો છે.
