જગત મંદિર દ્વારકા 10 થી 13 ઓગસ્ટ સુધી રહેશે બંધ
Live TV
-
ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીએ મંદિર રહેશે બંધ, લાખો ભાવિકો એકઠા થવાની શક્યતાને પગલે નિર્ણય
દ્વારકાનું જગતમંદિર કોરોના સંક્રમણના કારણે 10થી 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે 12મી ઓગસ્ટના રોજ એટલે કે જન્માષ્ટમીના દિવસે પણ લાખો ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર સમુ જગતમંદિર બંધ રહેશે. અને આવું ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે. જો કે, આ દરમિયાન નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે. પણ દ્વારકાધીશના જન્મોત્સવમાં પૂજારી સિવાય કોઇ ભાગ લઇ શકશે નહીં. જો કે શ્રદ્વાળુઓ કૃષ્ણ જન્મોત્સવનું ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે.
